✊ આજનો દિન વિશેષ✊
મહારાણા પ્રતાપ
મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.
એમનો જન્મ ૯ મે ૧૫૪૦ના રોજ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો[૧][૨]. ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોધલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમા ૧૭,૦૦૦ સૈનીકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણા પ્રતાપની હાલત દિન-પ્રતિદિન નબળી પડતી ગઈ. ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા.
👉 શાસન કાળ :- ૧૫૬૮-૧૫૯૭
👉 જન્મ :- મે ૯, ૧૫૪૦
👉 જન્મ સ્થળ :- કુંભલગઢ, જુની કચેરી,
પાલી, રાજસ્થાન
👉 અવસાન :- જાન્યુઆરી ૧૯, ૧૫૯૭
(આયુ ૫૭ વર્ષ)
👉 પૂર્વગામી :- મહારાણા ઉદય સિંહ (બીજા)
👉 વંશ/ખાનદાન :- સૂર્યવંશી,રાજપુત
👉 પિતા :- મહારાણા ઉદય સિંહ (બીજા)
👉 માતા :- મહારાણી જીવંત બાઈ
👉 સંતાન :- ૩ પુત્રો અને ૨ પુત્રીઓ
👉 ધર્મ :- હિંદુ
👉 થોડુ વધારે પણ અગત્યનુ :-
જયપુરઃ 18 જૂન 1576માં મેવાડનાં રાજા મહારાણા પ્રતાપ અને મુઘલ સમ્રાટ અકબર વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. આ લડાઈમાં ન્હોતો અકબર જીત્યો અને નાં તો મહારાણા પ્રતાપ હાર્યા. ઘણા રાઉન્ડમાં થયેલા આ યુદ્ધમાં કહેવાય છે કે, અકબર મહારાણા પ્રતાપનું યુદ્ધ કૌશલ્યથી જોઈને ગભરાઈ ગયો હતો. બહુ ઓછા સૈનિકોનાં બળથી મહારાણા પ્રતાપે અકબરની સેનાનો જોરદાર સામનો કર્યો હતો. આ યુદ્ધની ભારતીય ઈતિહાસનાં મુખ્ય યુદ્ધમાં ગણતરી થાય છે.
હલ્દીઘાટીનો દરેક કણ મહારાણા પ્રતાપની સેનાની બહાદુરી, હિંમત અને બલિદાનની કથા કહે છે. યુદ્ધભૂમિની પરીક્ષાથી રાજપૂતોનાં કર્તવ્ય અને બહાદુરીનાં જુસ્સાની ઓળખાણ થઈ હતી. મેવાડનાં રાજા રાણા ઉદય સિંહ અને મહારાણી જયવંતા બાઈનાં પુત્ર મહારાણા પ્રતાપ સિસોદિયા વંશનાં એકલા એવા રાજપૂત રાજા હતા જેઓએ મુઘલ સમ્રાટ અકબરની આજ્ઞાંકિતતા અસ્વીકાર કરવાનું સાહસ કર્યું હતું અને જ્યા સુધી જીવંત રહ્યા અકબરને રાહતનો શ્વાસ ન લેવા દીધો.
મહારાણા પ્રતાપનો જન્મ કુંભલગઢનાં કિલ્લામાં થયો હતો. તેમનું બાળપણ ચિત્તોડમાં પસાર થયું. બાળપણથી નિડર, સાહસી અને ભાલો ચલાવવામાં કુશળ મહારાણા પ્રતાપે એક વાર તો જંગલમાં સિંહનો સામનો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેમની માતૃભૂમિ મેવાડને અકબરનાં હાથે ન જવા દેવા માટે મહારાણા પ્રતાપે એક મોટી સેના તૈયાર કરી હતી, જેમાં મોટાભાગનાં ભીલ ફાઈટર્સ હતા. તેઓ ગેરિલા યુદ્ધમાં પારંગત હતા.
આ યુદ્ધમાં અંદાજે 18 હજાર સૈનિકો માર્યા ગયા. એટલું લોહી વહ્યું કે આ જગ્યાનું નામ 'રક્ત તલાઈ' પડી ગયું. મહારાણા પ્રતાપ વિરુદ્ધ આ યુદ્ધમાં અકબરની સેનાનું નેતૃત્વ સેનાપતિ માનસિંહ કરી રહ્યા હતા. જે હાથી પર સવાર હતા. મહારાણા તેમના બહાદુર ઘોડા ચેતક પર સવાર થઈને યુદ્ધભૂમિમાં આવ્યા હતા, કહેવાય છે કે આ ઘોડો બહુ ઝડપથી દોડતો હતો.
અકબરની ફોજ મોટી અને મજબૂત હોવાની સાથે તેની પાસે તે સમયનાં દરેક આધુનિક શસ્ત્રો હતા. જ્યારે, મહારાણા પ્રતાપની સેના સંખ્યામાં ઓછી હતી અને તેની પાસે ઘોડાની સંખ્યા વધારે હતી. અકબરની સેના ગોકુંડા સુધી પહોંચવાની તૈયારીમાં હતી. હલ્દીઘાટી પાસે જ ખુલ્લામાં તેણે તેનાં કેમ્પ લગાવી દીધા હતા. મહારાણા પ્રતાપની સેનાએ ગેરિલા પદ્ધતિથી યુદ્ધ કરીને અકબરની સેનામાં દોડધામ મચાવી દીધી. અકબરની મોટી સેનાં અંદાજે પાંચ કિલોમીટર પાછળ ખસી ગઈ. જ્યારે ખુલ્લા મેદાનમાં મહારાણા પ્રતાપ અને અકબરની સેના વચ્ચે પાંચ કલાક સુધી ભયંકર યુદ્ધ થયું.
મુઘલ સેનામાં હાથીઓની સંખ્યા વધારે હોવાનાં કારણે ચેતકનાં માથે હાથીનું મહોરું બાંધવામાં આવ્યું હતુ જેથી હાથીઓને ભરમાવી શકાય. કહેવાય છે કે, ચેતક પર સવાર મહારાણા પ્રતાપ એક બાદ એક દુશ્મનોનો સફાયો કરતા કરતા સેનાપતિ માનસિંહનાં હાથીની સામે પહોંચી ગયા હતા. તે હાથીની સૂંઢમાં તલવાર બાંધેલી હતી. મહારાણાએ ચેતકને એડી લગાવી અને તે સીધા માનસિંહનાં હાથીનાં માથે ચઢી ગયા. માનસિંહ નીચે છુપાઈ ગયો અને મહારાણાનાં હુમલાથી મહાવતનું મૃત્યુ થયું. હાથી પરથી ઉતરતા સમયે ચેતકનો એક પગ હાથીની સૂંઢમાં બંધાયેલી તલવારથી કપાઈ ગયો.મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક તેનો એક પગ કપાયેલો હોવા છત્તા મહારાણાને સલામત જગ્યાએ લઈ જવા માટે ક્યાંય રોકાયા વગર પાંચ કિલોમીટર સુધી દોડ્યો. ઉપરાંત રસ્તામાં આવતા 100 મીટરનાં વરસાદી ઝરણાને પણ એક છલાંગમાં પાર કરી લીધુ રાણાને સલામત જગ્યાએ પહોંચાડ્યા બાદ જ ચેતકે તેનાં પ્રાણ છોડ્યા. જ્યા ચેતકે પ્રાણ છોડ્યા ત્યા હાલ ચેતકની સમાધી છે. યુદ્ધમાં વિજય ભલે અકબરનો થયો પરંતુ ઈતિહાસમાં નામ અમર થયું મહારાણા પ્રતાપની બહાદુરી, ચેતકની વફાદારી અને ઝાલામાનનાં બલિદાનનું.
આ યુદ્ધમાં તેનાં પ્રિયજનો, મિત્રો, સૈનિકો અને ચેતક ઘોડાને ગુમાવ્યા બાદ મહારાણા પ્રતાપે સંકલ્પ કર્યો હતો કે, તે જ્યા સુધી મેવાડ ફરી મેળવી નહીં લે ત્યા સુધી ઘાસની રોટલી ખાસે અને જમીન પર જ ઊંઘશે. તેનાં જીવનકાળમાં તેઓએ આ સંકલ્પ નિભાવ્યો અને અકબરની સેના સાથે યુદ્ધ કરતા રહ્યા. તે જીવંત રહ્યા ત્યા સુધી અકબર રાહતથી રહી ન શક્યો અને મેવાડને પોતાની હેઠળ ન કરી શક્યો. 59 વર્ષની ઉંમરે મહારાણા પ્રતાપે ચાવંડમાં અંતિમ શ્વાસ લીધા. મેવાડમાં આજે પણ કહેવાય છે કે પુત્ર હોય તો મહારાણા પ્રતાપ જેવો...
👉 જ્યારે દુશ્મનોથી ઘેરાઈ ગયા હતા મહારાણા પ્રતાપ
ચેતકનો એક પગ કપાઈ ગયા બાદ મહારાણા પ્રતાપ દુશ્મનની સેનાથી ઘેરાઈ ગયા હતા. મહારાણાને દુશ્મનોથી ઘેરાયેલા જોઈ સાદડી સરદાર ઝાલા માનસિંહ તેમનાં સુધી પહોંચી ગયો અને તેણે રાણાની પાઘડી અને છત્ર બળજબરીપૂર્વક પહેરી લધું. તેઓએ મહારાણાને કહ્યું કે, એક ઝાલાનાં મૃત્યુથી કંઈ નહીં થાય. જો તમે બચી જશો તો અન્ય ઘણા ઝાલા તૈયાર થઈ જશે. રાણાનું છત્ર અને પાઘડી પહેરેલા ઝાલાને મહારાણા સમજીને મુઘલ સેના તેની સાથે લડી અને મહારાણા પ્રતાપ બચીને નીકળી ગયા. ઝાલા માન વીરગતિ પામ્યા. તેનાં કારણે મહારાણા જીવંત રહ્યા.
No comments:
Post a Comment